Current Affairs Gujarati 05 September 2025 | Best for UPSC/GPSC

Today’s Current Affairs Gujarati 05 September 2025  for UPSC,GPSC and other competitive exams. All news updates are explained in Gujarati for easy preparation.

Current Affairs Gujarati 05 September 2025

દર વર્ષે 5મી સપ્ટેમ્બરે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણા દેશમાં શિક્ષક દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1962માં ડૉ. રાધાકૃષ્ણનના રાષ્ટ્રપતિ બનવા સાથે થઈ હતી.

જ્યારે સમગ્ર વિશ્વમાં 5મી ઓક્ટોબરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1994 માં, યુનેસ્કોએ શિક્ષકોના સન્માનમાં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસ (5 October Teacher’s Day) ઉજવવાની જાહેરાત કરી.

કેટલાક દેશો એવા છે, જે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવે છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુકે, પાકિસ્તાન, ઈરાન વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય 11 દેશો 28 ફેબ્રુઆરીએ શિક્ષક દિવસ ઉજવે છે.

  • સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો. રાધાકૃષ્ણન એક મહાન વિદ્વાન અને ફિલોસોફર હતા. ડો.રાધાકૃષ્ણને તેમના જીવનના મહત્વપૂર્ણ 40 વર્ષ એક શિક્ષક તરીકે દેશને આપ્યા.
  • તેમણે ફિલોસોફીમાં એમએ કર્યું અને 1916માં ફિલોસોફીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મદ્રાસ રેસીડેન્સી કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. થોડા વર્ષો પછી તેઓ પ્રોફેસર બન્યા. તેમની અદભૂત શિક્ષણ કૌશલ્યને કારણે, ઘણી ભારતીય યુનિવર્સિટીઓ ઉપરાંત, કોલંબો અને લંડન યુનિવર્સિટીએ પણ પ્રમાણભૂત ડિગ્રીઓ એનાયત કરી. આઝાદી પછી, તેમણે ઘણા મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું અને પેરિસમાં યુનેસ્કો સંસ્થાની કાર્યકારી સમિતિના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા. તેમણે 1949 થી 1952 સુધી રશિયામાં ભારતના રાજદૂત તરીકે પણ સેવા આપી હતી.
  • આ પછી, વર્ષ 1952 માં, તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને પછી તેઓ બીજા રાષ્ટ્રપતિ બન્યા. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને વર્ષ 1954માં ભારતરત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રફુલ્લ રાવલ તેમનો જન્મ 05 સપ્ટેમ્બર 1948 ના દિવસે વિરમગામમાં જગજીવનદાસ અને સુભદ્રાબેનને ઘેર થયો હતો.

તેમણે વિરમગામની શેઠ એમ. જે. હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. અને સી. એમ. દેસાઈ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, વિરમગામથી ગુજરાતી વિષયમાં સ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઑફ લેંગ્વેજમાં જોડાઈ તેમણે માસ્ટર ઑફ આર્ટ્સ, માસ્ટર ઑફ ફિલોસોફી (પી.એચ.ડી.)ની પદવી મેળવી.

તેમણે એલ.સી. કન્યા વિદ્યાલય, વિરમગામમાં 1970 થી 1983 અને શેઠ એમ. જે. હાઈસ્કૂલ, વિરમગામમાં 1983 થી 1984 સુધી ભણાવવાનું કાર્ય કર્યું. 1984 માં, તેમણે કૃતિ પ્રકાશન નામના પુસ્તક પ્રકાશન કંપની સ્થાપના કરી. 1992 માં, તેમણે શિશુ નિકેતન નામની પ્રાથમિક શાળાની સ્થાપના કરી, જે હાલમાં સેતુ વિદ્યાલય તરીકે ઓળખાય છે. 1995 માં, તેમણે બીજી શાળાની સ્થાપના કરી અને 2006 સુધી ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવી. 2012 માં, તેઓ કુમારના સહ-સંપાદક બન્યા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી પણ તરીકે કાર્ય કરે છે.

  • આવતીકાલની શોધ માં, મિનોઈ સાચુ કહેતી’તી, નોખા-અનોખા, માણસ એ તો માણસ, પાકેલો અંધકાર, નાજુક ક્ષણ, સાવ અચાનક
  • તેમણે 1982 માં કુમાર સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નેશનલ ઇન્સ્ટિટયુટશનલ રેન્કિંગ ફેમવર્ક (એનઆઇઆરએફ) ૨૦૨૫મા મેનેજમેન્ટ કેટેકટરીમાં આઇઆઇએમએ પ્રથમ આઇઆઇએમ- બેંગ્લોર બીજા અને આઇઆઇએમ- કોઝિકોડેએ ત્રીજુ સ્થાન મેળવ્યું છે. એનઆઇઆરએફ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓનો ૧૭ કેટેગરીમાં રેન્કિંગ જાહેર થયું છે.

સતત સાતમા વર્ષે ઓવરઓલ કેટેગરીમાં આઇઆઇટી, મદ્રાસે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી), બેંગ્લુરુ ને સતત દસમા વર્ષે પસંદ કરાયું છે.

ઓવરઓલ શ્રેણીમાં આઇઆઇટી, મદ્રાસ પછી આઇઆઇએસસી, બેંગ્લુરુને બીજો અને આઇઆઇટી બોમ્બેને ત્રીજો અને આઇઆઇટી દિલ્હીને ચોથો ક્રમ મળ્યો છે.

સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે આઇઆઇએસસી, બેંગ્લુરુ પછી બીજા ક્રમે જેએનયુ, દિલ્હી, અને ત્રીજા ક્રમે મનિપાલ અકાડેમી ઓફ હાયર એજ્યુકેશનને ત્રીજુ સ્થાન મળ્યું છે. કર્ણાટકની આ યુનિવર્સિટી ટોપ થ્રી રેન્કિંગમાં પસંદ કરાયેલી પ્રથમ  પ્રાઇવેટ યુનિવર્સિટી છે.

એગ્રી એશિયાની 14મી આવૃત્તિ અને ડેરી લાઇવસ્ટોક એન્ડ પોલ્ટ્રી એક્સ્પો (DLP એશિયા)ની 13મી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી. જેને રેડીકલ કોમ્યુનિકેશન્સ (ઇન્ડિયા), એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (AMMA-ઇન્ડિયા), ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિએશન (GPDFA) તેમજ સહયોગીઓ IFFCO અને GUJCOMASOL સાથે મળીને કરી. આ ઈવેન્ટ આગામી 18 થી 20 સપ્ટેમ્બર, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાશે.આ વર્ષે, ડી.એલ.પી. એશિયા ૨૦૨૫માં પ્રથમવાર વિશિષ્ટ પૉલ્ટ્રી પેવિલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. જે બ્રૉઇલર પૉલ્ટ્રી ફાર્મર્સ એસોસિયેશન (Global Welfare Foundation) અને લેયર પૉલ્ટ્રી એસોસિયેશન (United Peoples Foundation)ના સહયોગથી યોજાશે.

ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય કૃષિ અને અનુસંગી ક્ષેત્રના એક્ઝિબિશન અને કોન્ફરન્સ.

૨૫૦+ પ્રદર્શકો અને ૧,૦૦,૦૦૦+ મુલાકાતીઓની હાજરીની અપેક્ષા, જેમાં કેન્યા, ઇથિઓપિયા, ઇરાન, પોલેન્ડ, ઓમાન સહિતના આંતરરાષ્ટ્રીય ખરીદદારોનો સમાવેશ.

સહ-કાર્યક્રમો: ડી.એલ.પી.ઈ., કૃષિ-ડેરી-પૉલ્ટ્રી સેમિનાર્સ અને લોકપ્રિય ગાય સ્પર્ધા (બીજો સંસ્કરણ).

ભારત સરકારના માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) મંત્રાલય દ્વારા માન્ય.

કોન્ફરન્સ અને સેમિનાર પાર્ટનર: એગ્રોહાઉસ

ઇવેન્ટ પાર્ટનર: ગુજરાત સીડ્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (GSIA)

અન્ય અગત્યના ઉદ્યોગ સંગઠનોનું સહયોગ: IAI, GAMMA, AMMA–India, GFCI, IGMA અને GSIA.

આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક અને સર્જક ભગવાનદાસ પટેલને કવિ નર્મદ સાહિત્યપ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ડો. હેમરાજ શાહ પ્રેરિત કવિ નર્મદ સાહિત્યપ્રતિભા એવોર્ડ અમદાવાદના ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો ઓડિટોરિયમમાં આપવામાં આવ્યો.

સાબરકાંઠાના જામળા ગામના ભગવાનદાસ કુબેરદાસ પટેલ મોટા ખેડૂત પરિવારમાંથી આવે છે. સ્નાતક થયા પછી ગુજરાતીના શિક્ષક તરીકે ફરજ બજાવી. ખેડબ્રહ્યામાં આદિવાસી વિસ્તાર નજીક એટલે એમને ભીલી બોલીમાં રસ પડ્યો. ભાષામાં રસ ધરાવતા ભગવાનદાસે આદિવાસી વિસ્તારોમાં જઇ એમના ગીતો, આખ્યાન, વાર્તા, કથા જેવી એમની સંસ્કૃતિની અનેક સારી બાબતોનું ઓડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું.

ભગવાનદાસને આદિવાસી સાહિત્ય એકઠું કરવામાં ઘણી કઠીનાઇનો સામનો કરવો પડ્યો. કેટલાય દિવસો અને રાતો આદિવાસી વિસ્તારમાં રહ્યા, ફર્યા અને લોકજીવન, લોકબોલી લોકો સુધી પહોંચે એ માટે દસ્તાવેજીકરણ કર્યું. ભગવાનદાસે ભીલીબોલીના ગીતો, કથાઓ, મહાકાવ્યોના પંચાવનથી વધુ પુસ્તકો લખ્યા. એમણે ઓડિયો કેસેટ્સ અને વિડિયો રેકોર્ડિંગ કરી આદિવાસીઓના સાહિત્યને જીવંત રાખવાના પ્રયાસ કર્યા.

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ એશિયાની હસ્તપ્રત પરંપરાઓ અને ગાણિતિક યોગદાન પર SAMHiTA પરિષદનું ઉદ્ઘાટન કર્યું.

આ પ્રસંગે બોલતા, ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે જેમ જેમ રાષ્ટ્ર વિશ્વ સાથે જોડાણની પ્રક્રિયાને વધુ તીવ્ર બનાવી રહ્યું છે, તેમ તેમ મહાન આત્મનિર્ભરતા માટે ખરેખર એક આકર્ષક દલીલ છે અને તેનું બૌદ્ધિક નેતૃત્વ તે પ્રયાસ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે.

SAMHiTA એ સંસ્થાકીય ભાગીદારો સાથે સહયોગ દ્વારા ભારતની બહાર પુસ્તકાલયો, આર્કાઇવ્સ અને અન્ય ભંડારોમાં રાખવામાં આવેલા ભારતીય અને વ્યાપકપણે દક્ષિણ એશિયાઈ હસ્તપ્રતોનો રિલેશનલ ડેટાબેઝ અને ડિજિટલ આર્કાઇવ બનાવવાની પહેલ છે.

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય 5 થી 22 સપ્ટેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ નજીક મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે SARAS આજીવિકા મેળા-2025નું આયોજન કરી રહ્યું છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સ્વ-સહાય જૂથો (SHG) ની 400 થી વધુ ગ્રામીણ મહિલાઓ ભાગ લેશે, જેમાં લગભગ 200 સ્ટોલ લગાવવામાં આવશે. આ પહેલી વાર છે જ્યારે દિલ્હીમાં મેળાનું આયોજન તમામ ઘટકો – ખાદ્ય સ્ટોલ, માલસામાનનું વેચાણ વગેરે સાથે કરવામાં આવી રહ્યું છે.

સરસ મેળો ફક્ત પરંપરાગત વસ્તુઓ ખરીદવાનું સ્થળ નથી, પરંતુ શહેરી મુલાકાતીઓને ગ્રામીણ જીવનનો અનુભવ કરવાની તક પણ આપે છે, જ્યારે તેઓ ગ્રામીણ વિસ્તારોમાંથી ઉત્પાદનોની શોધ અને ખરીદી કરે છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT) અને ICICI બેંકે દેશભરના સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સને ટેકો આપવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા.

આ એમઓયુ હેઠળ, ICICI બેંક એક સ્ટાર્ટઅપ એંગેજમેન્ટ પ્રોગ્રામ ડિઝાઇન અને રોલ આઉટ કરશે, જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ પર હોસ્ટ કરવામાં આવશે. આ કાર્યક્રમ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના વ્યાપક આઉટરીચ અને દૃશ્યતા પહેલ સાથે એકીકૃત રીતે સંકલિત કરવામાં આવશે જેથી મહત્તમ અપનાવણ અને જાગૃતિ સુનિશ્ચિત થાય. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ICICI બેંકને સંદેશાવ્યવહાર વધારવા, કાર્યક્રમ દૃશ્યતાનું સંચાલન કરવા અને સમગ્ર ભારતમાં DPIIT-માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ સાથે જોડાણોને સક્ષમ બનાવવામાં સહાય કરશે.

આ પહેલ પસંદગીના સ્ટાર્ટઅપ્સને ICICI બેંકની મુંબઈ સ્થિત એક્સિલરેટર સુવિધા, જેમાં સમર્પિત કાર્યસ્થળનો સમાવેશ થાય છે, ઍક્સેસ પ્રદાન કરશે. તેઓ ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સંરચિત અભ્યાસક્રમ અને માર્ગદર્શનનો લાભ મેળવશે, સાથે સાથે ઉત્પાદન-બજાર ફિટને માન્ય કરવા માટે ICICI બેંકના વ્યવસાય એકમો સાથે પાયલોટ કાર્યક્રમો ચલાવવાની તકો પણ મેળવશે. આ કાર્યક્રમ ઉદ્યોગ-વિશિષ્ટ વર્કશોપ અને નવીનતા પ્રદર્શનોમાં ભાગીદારી સક્ષમ બનાવવા ઉપરાંત, વેન્ચર કેપિટલ ફર્મ્સ, રોકાણકારો અને સંભવિત ગ્રાહકો સાથે નેટવર્કિંગ તકોનો પણ વિસ્તાર કરશે.

દિગ્ગજ ઇટાલિયન ફેશન ડિઝાઇનર અને અરમાની બ્રાન્ડના અબજોપતિ માલિક જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ઇટાલિયન ફેશન શૈલીના પ્રતિક હતા અને હજી પણ માનવામાં આવે છે. મિલાનના રેડી-ટુ-વેર ફેશનના દિગ્ગજ જ્યોર્જિયો અરમાની પોતાના અનસ્ટ્રક્ચર્ડ લુકથી ફેશનમાં ક્રાંતિ લાવ્યા હતા.

અરમાની આ મહિને મિલાન ફેશન વીક દરમિયાન જ્યોર્જિયો અરમાની ફેશન હાઉસના 50 વર્ષની ઉજવણી માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતા. ફેશન કંપની તરીકે શરૂ થયેલી અરમાની સંગીત, રમતગમત અને લક્ઝરી હોટલોમાં પણ વિસ્તરી છે.

અરમાની એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પણ હતા. તેમની કંપનીનું ટર્નઓવર દર વર્ષે £2 બિલિયનથી પણ વધારે હતું. અરમાની બ્રાન્ડના X હેન્ડલ મુજબ જ્યોર્જિયો અરમાનીએ 50 વર્ષ પહેલાં 24 જુલાઈ 1975ના રોજ મિલાનમાં પોતાની કંપનીની સ્થાપના કરી હતી.

ઇન્ડિયન-અમેરિકન અમિત ક્ષત્રિયને નાસાના નવા અસોસિયેટ એડમિનિસ્ટ્રેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નાસા સ્પેસ એજન્સીનો આ સૌથી સર્વોચ્ચ સિવિલ સર્વિસ હોદ્દો છે. આ જાહેરાત હાલમાંના એક્ટિંગ એડમિનિસ્ટ્રેટર સીન પી. ડફી દ્વારા કરવામાં આવી છે. અમિત છેલ્લા 20 વર્ષથી નાસા સાથે કામ કરે છે. તેમણે આ પહેલાં એક્સપ્લોરેશન સિસ્ટમ્સ ડેવલપમેન્ટ મિશન ડિરેક્ટોરેટના મૂન ટુ માર્સ મિશનના ડેપ્યુટી હેડ તરીકે કામ કર્યું હતું.

અમિત દ્વારા યુનિવર્સિટી ઑફ ટેક્સાસમાંથી માસ્ટર ઑફ આર્ટ્સ ઇન મેથેમેટિક્સની ડિગ્રી મેળવવામાં આવી હતી. તેમણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ ટૅક્નોલૉજીમાંથી બેચલર ઑફ સાયન્સ ઇન મેથેમેટિક્સની ડિગ્રી મેળવી હતી. તેમનો જન્મ વિસ્કોન્સિનના બ્રૂકફીલ્ડમાં થયો હતો. તેમની પહેલી જનરેશન ઇન્ડિયન ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા આવી હતી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના 50મા એક્સપેડિશનમાં લીડ ફ્લાઇટ ડિરેક્ટર તરીકે અદ્ભુત કામ કરવા બદલ તેમને નાસાનો આઉટસ્ટેન્ડિંગ લીડરશિપ મેડલ પણ આપવામાં આવ્યો હતો.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને ખ્યાતનામ લેગ સ્પિનર અમિત મિશ્રાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

હરિયાણાનો 42 વર્ષીય અમિત મિશ્રા છેલ્લે 2017માં ભારત માટે ટેસ્ટ રમ્યો હતો તો 2024માં છેલ્લી વાર ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માં રમ્યો હતો. આઇપીએલમાં તે એવો એકમાત્ર બોલર છે જેણે ત્રણ વાર હેટ્રિક લીધી હોય.

અમિત મિશ્રા ભારત માટે 22 ટેસ્ટ, 36 વન-ડે અને 10 ટી20માં રમ્યો હતો તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની લેગ સ્પિન બોલિંગથી 76 અને વન-ડેમાં 64 વિકેટ ઝડપી હતી. એક ક્લાસિક લેગ સ્પિનર તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરનારા મિશ્રાએ 2008માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સાથે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જોકે તે અગાઉ 2003માં મિશ્રાએ સાઉથ આફ્રિકા સામે રમીને વન-ડે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ ​​ત્રિપુરા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત નોર્થ ઇસ્ટર્ન ઝોન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યું.

ચાર દિવસીય આ કાર્યક્રમમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નવા સમાવિષ્ટ સિક્કિમના 200 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ડૉ. સાહાએ એકતા, શિસ્ત અને દેશભક્તિને પ્રોત્સાહન આપવામાં રમતગમતની ભૂમિકા પર ભાર મૂક્યો, આ કાર્યક્રમને ઉત્તર પૂર્વની વિવિધતા અને પ્રતિભાનો ઉત્સવ ગણાવ્યો.

તેમણે રમતગમતના માળખામાં ત્રિપુરાના તાજેતરના રોકાણો પર પ્રકાશ પાડ્યો અને આગામી પ્રોજેક્ટ્સની જાહેરાત કરી, જેમાં બે બહુહેતુક ઇન્ડોર હોલ અને 200 બેડની સ્પોર્ટ્સ હોસ્ટેલનો સમાવેશ થાય છે.





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top